મન ની વાત
Prakash  

રાધા – પૂર્ણતાનો પર્યાય

નિઃસ્વાર્થ પ્રેમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ,
                      એ છે રાધા.
જોજનો દૂર રહીને પણ જે પાસે છે,
                      એ છે રાધા.
ભક્તિ માં પણ જે પ્રેમ-ભક્તિ છે, 
                      એ છે રાધા.
સમર્પણ નું સર્વોચ્ચ ઉદાહરણ છે,
                      એ છે રાધા.
સમર્પણ જો કોઈ પારાકાષ્ઠા હોય તો, 
                      એ છે રાધા.
કોઈને પામવા કરતા કોઈના થઇ જવુ, 
                      એ છે રાધા.
જેના નામ વગર "કૃષ્ણ" પણ અધૂરા છે,
                      એ છે રાધા.

રાધે-કૃષ્ણ! રાધે-કૃષ્ણ!